BANASKANTHAGUJARATPALANPUR

કાંકરેજ તાલુકાના થરા બહુચરાજી મંદિર ખાતે ચૈત્રી પૂનમે અન્નકૂટ ધરાવવામાં આવેલ

 

24 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

કાંકરેજ તાલુકામાં ચૈત્રી પૂનમ હનુમાન જયંતીની થરા નગરમાં બહુચરાજી મંદિર ,વડા ઢટોસણ હનુમાનજી મંદિર,મૈડકોલ તથા આજબાજુના ગામોમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવવામાં આવી.જેમાં અન્નકુટ દર્શનનો કાર્યક્રમ જુના ગામતળમાં આવેલ બહુચરાજી મંદિર, હાઇવે પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર સ્થિત બહુચરાજી મંદિરે દાતાઓના સહકારથી અન્નકૂટ મહોત્સવ બપોરે બાર વાગ્યે ઉજવવામાં આવ્યો હતો. રોટી સંત પૂ જલારામ બાપાના મંદિરે છેલ્લા કેટલાક વર્ષોની પરંપરા મુજબ સમૂહ પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.થરા નગરમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી પાખી પાળી હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી ભાગ લઈ ધન્યતા અનુભવતા નજરે પડતા હતા.રાત્રે હનુમાન ચાલીસા ભજન સત્સંગ ડાયરાનું આયોજન થયું હતું તો પાંજરા પોળ,ગૌશાળા ખાતે અબોલ પશુ પક્ષીઓને ઘાસચારો ચણ નાખતા લોકો જોવા મળ્યા હતા.યશપાલ ટી.વાઘેલા એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!