BANASKANTHAKANKREJ

હારીજમાં પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી ચેહર માતાજીની રમેલ યોજાઈ

સરેલના વતની વર્ષોથી ધંધાર્થે હારીજ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના કાતરિયા પરિવાર દ્વારા માતાજીની રમેલ કરવામાં આવે ત્યારે પ્રજાપતિ ઈશ્વરભાઈ જગમાલભાઈ પરિવાર દ્વારા સંવત ૨૦૮૦ ના ચૈત્રવદ-૧૧ ને શનિવાર તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે પરિવારની બહેનોને તેડાવી સગા સ્નેહીઓજનોને આમંત્રણ આપી ભોજન પ્રસાદ કરવી રાત્રે ડાકના તાલે વાંસા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી હસુભાઈ પ્રજાપતિ,દશરથભાઈ પ્રજાપતિ વડનગરની હાજરીમા કાતરા ગામના રાવળદેવ નટુભાઈ મુખારવિંદે રેગડીઓ દ્વારા રમેલ (જાતર) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આખી રાત્ર ભુવાજી ઈશ્વરભાઈ પ્રજાપતિ, અંબારામભાઈ પ્રજાપતિ, ખેતાભાઈ પ્રજાપતિ,હસુભાઈ લાલાભાઈ  પ્રજાપતિ સહિત લગભગ ૧૨૫ ભુવાજીઓએ રમેલની રમઝટ બોલાવેલ દરેક ભુવજીઓને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પિંકેશ પ્રજાપતિ,ભાવેશ પ્રજાપતિ એ સન્માન કર્યું હતું.સવારે શુભ ચોઘડીએ શ્રી ચેહર માતાજી તેમજ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષીએ તેલ ફૂલ ચડાવેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!