તા.૧૫.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં રાષ્ટ્રિય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું
અંતર્ગત માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવત ના માર્ગદર્શન અન્વયે જીલ્લા રક્તપિત અધિકારીશ્રી ડૉ આર. ડી. પહાડીયા દવારા ધાનપુર તાલુકાના વકોટા પ્રાથમિક શાળા માં બાળકો ને આલબેન્ડાઝોલની ટેબલેટ ખવડાવવામાં આવી અને બાળકો ને કૃમિથી થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું તથા હેન્ડ વોશ કઈ રીતે કરવાનુ અને એનાં ફાયદોઓ અને સાચી પદ્ધતિ સમજાવવામાં આવી