સામાજિક સંસ્થાનો દ્વારા દિવ્યાંગ બાળકોના શારીરિક માનસિક વિકાસાર્થે રમોત્સવ યોજાયો
અમદાવાદ શહેર ની સામાજિક સંસ્થા ઓ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે રમોત્સવ ગણપતિ દાદાનું મંદિર,અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે સતત ચિંતિત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તથા ગાયત્રી પરિવાર નારણપુરા,ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી મનોદિવ્યાંગ બાળકોના શારીરિક માનસિક વિકાસાર્થે આઉટડોર,ઈન્ડોરની વિવિધ રમતોનો રમોત્સવ તેમજ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યશ્રીના આધ્યાત્મિક જન્મોત્સવ સંદર્ભે વસંતોત્સવ જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે સરસ્વતી પૂજન,કલમ પૂજનનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનોદિવ્યાંગ બાળકોએ ઉજવ્યો જેમાં તેમની સાથે વિશેષમાં ધો.૧૦-૧૨ માં ભણતા બાળકોએ પરિક્ષામાં સફળતા મળે તે માટે સરસ્વતી પૂજન,કલમ પૂજનમાં ભાગ લીધો હતો અને જેમાં કાર્યક્રમના અંતે મનોદિવ્યાંગ બાળકોના ઉત્સાહમાં વધારાર્થે દરેક બાળકને ટોકન ઈનામ તથા મિષ્ટાન્ન સાથે સ્વાદિષ્ટ મજેદાર ભોજન કરાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા