BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામેથી રામ ભક્તોનું એક ગ્રુપ અયોધ્યા દર્શનાર્થે જવા રવાના થયું

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામેથી રામ ભક્તોનું એક ગ્રુપ અયોધ્યા દર્શનાર્થે જવા રવાના થયું

 

સાંજે ચાર વાગે ભરૂચ રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે

 

સમગ્ર સનાતન હિંદુ ધર્મ નો આસ્થા નું કેન્દ્ર એવા નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા ની જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશમાંથી ધર્મપ્રેમીઓ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે અયોધ્યા સુધી પહોંચવા માટે રેલવે વિભાગ દ્વારા ખાસ આસ્થા ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના યુવા રામ ભક્તો નું એક ગ્રુપ અયોધ્યા ખાતે રામલલ્લા ના દર્શન કરવા રવાના થયું છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાણીપુરા ગામમાંથી પ્રથમ વખત આ યુવાનો ટ્રેન મારફતે અયોધ્યા પહોંચવાના હોય તેમના પરિવારજનો તથા ગ્રામજનો તેમના યાત્રા પ્રસ્થાન વેળા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડીલોએ યુવાનોને આશીર્વાદ આપી અયોધ્યા ખાતે જવા માટે રવાના કર્યા હતા આજે બપોરે ૪ કલાકે તેઓ આસ્થા ટ્રેન મારફતે રવાના થઈ ૨૯.૨.૨૪ સવારે ૪.૨૫ કલાકે અયોધ્યા ખાતે પહોંચશે અને રામલલ્લાના દર્શન કરી ૧.૩.૨૪ ના રોજ સવારે ૧.૩૦ કલાકે ભરૂચ આવવા રવાના થશે જે ૩.૩.૨૪ ના રોજ સવારે ૧.૩૦ કલાકે ભરૂચ ખાતે પહોંચશે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!