BANASKANTHAKANKREJ

કાંકરેજ તાલુકાના થરામાં મુમુક્ષારત્ન નેત્રાબેને દીક્ષા ગ્રહણ કરી.

નૂતન દિક્ષાર્થી પરમ પૂજ્ય સાધ્વીજીશ્રી નિજાનંદી યશાશ્રીજી મ.સા.સંયમના પંથે.

કાંકરેજ તાલુકાની ધન્યધરાના શાહ હરનેશભાઈ ચંપકલાલ (લેથવાળા) ની સુપુત્રી શાહ નેત્રાબેન હરનેશભાઈ નો જન્મ ૨૪ વર્ષ પૂર્વે એટલેકે તા.૧૬/૦૯/૧૯૯૯ ના રોજ થયેલ. માત્ર સાડા છ વર્ષની બાલ્યવયે દીક્ષિત સંયમૈલક્ષી પરમ પૂજ્ય સુલશ્રાશ્રીજી મ.સા.ના ઉપનિષદો અદ્વિતીય પ્રભાવનો સ્પર્શતા આત્માને ભૂલીને એમ.બી.એ. સુધી અભ્યાસ કરીને ખેલતી- કૂદતી હતી.પણ ગુરૂમાઁ એ
માતૃત્વની વાત્સલ્યધરામાં ભીંજવીને સ્વ.-પરની મધુર સમજ આપી. દેવ-ગુરૂની જ અનંતકૃપાથી, સંયમની સાધનામાં પ્રવેશ થશે, સાક્ષીભાવનો સંગીન વેશ ધારણ કરી જે સિદ્ધિનો સાચો સેતુ બનશે ગુરૂમાઁ એ જ કહું કે હું કોણ છું? એનો સત્ય પરિચય કરાવ્યો છે. આવી નેત્રાબેન શાહ નો ગત તા.૦૩/૦૩/૨૦૨૪ ને રવિવાર સવારે ૫.૩૦ કલાકે જૈન સાયન્સસીટી વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરામ તીર્થ
પ્રેરક પરમ પૂજ્ય આ.દેવ શ્રી લબ્ધીચન્દ્ર સા.સુરીજી મ.સા. સહિત ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં માતા-ભાવિનીબેન, પિતા હરનેશભાઈ સહિત ચતુરવિધ સંઘની ઉપસ્થિતિમાં ગૃહત્યાગ કરી સવારે ૬ કલાકે મંડપ પ્રવેશ તથા મંગલ દીક્ષા વિધિ પ્રારંભ ૮.૩૦ કલાકે શ્રી સકલ સંઘની નવકારશી બપોરે ૧૨ કલાકે શ્રી સકલ સંઘ સ્વામીવાત્સલ્ય ૨ કલાકે સત્તર ભેદી પૂજા અર્ચના સાંજે ૫ કલાકે પધારેલ મહેમાનોની સાધર્મિક ભક્તિ અને આજરોજ તા.૦૪/૯૩/૨૦૨૪ ને સોમવારે સવારે ૬ કલાકે પૂજ્ય સૂરીભગવંત તથા પૂજ્ય
સાધ્વીજી ભગવંત સાથે નૂતન દિક્ષાર્થી પરમ પૂજ્ય સાધ્વીજીશ્રી નિજાનંદી યશાશ્રીજી મ.સા.ના પગલાં ગૃહ આંગણે થશે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!