દેવમોગરા મેળામાં દારૂખાનું ફોડવા સહિત સળગી ઉઠે તેવી વસ્તુઓ સળગાવવા પર પ્રતિબંધ,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડૉરી માતાના મંદિર ખાતે આગામી તા.૦૮/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪ સુધી મેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં જનમેદની આવતી હોય છે. જેને લક્ષમાં લઇને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ નર્મદા-રાજપીપલાનાઓને ગુજરાત પોલીસ, અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (યુ) તથા આમુખ-૩ થી મળેલી સત્તાની રૂએ તા.૦૮/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) દેવમોગરા ગામે આવેલ પાંડૉરી માતાના મંદિર ખાતે યોજાનાર મેળાના હદ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રકારનું દારૂખાનું ફોડવું નહીં તથા સળગી ઉઠે તેવી બીજી કોઈ વસ્તુઓ સળગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ પાંડૉરી માતાના મંદિર ખાતે યોજાનાર મેળાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા
છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.