KUTCHMANDAVI

માંડવી તાલુકાના બીદડા મધ્યે આંગણવાડી કેન્દ્ર-૬ નું પુનઃ નૂતન ભવન નું શુભારંભ(લોકાર્પણ) કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા.12. માર્ચ : માંડવી તાલુકાના બીદડા મધ્યે આંગણવાડી કેન્દ્ર-૬ નું પુનઃ નૂતન ભવન નું શુભારંભ(લોકાર્પણ) કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ બીદડા ગામના સરપંચ શ્રી જયાબેન છાભૈયા,પૂર્વ તાલુકા પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી તથા આંગણવાડીકેન્દ્રો ના મુખ્ય સેવિકા બેન શ્રી પ્રજ્ઞાબેન સંગવી તથા શિક્ષિકાબેન મિતાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા… કાર્યક્રમમાં વાલીઓ, બાળકો, સ્થાનિક લોકો,આજુબાજુની આંગણવાડીઓના વર્કર બહેનો,હાજર રહ્યા હતા, આંગણવાડીના વર્કર રમીલાબેન સંગાર તથા હેલ્પર બેનશ્રી ગીતાબેન પેથાણી એ તમામ વ્યવસ્થા સંભાળી હતી, દક્ષાબેન સેંઘાણી એ આંગણવાડી ની યોજનાઓ વિશે માહિતી આપી,આભાર વિધી ભાવનાબેન ગોર એ કરી હતી,ઇન ચાર્જ cdpo શ્રી શીતલબેન સંઘારે સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જતીનભાઈ પેથાણી એ કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!