વિજાપુર ડેપો ખાતે ત્રણ બસોને ડેપો મેનેજરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સોમનાથ દાહોદ મોરબી જતા મુસાફરો માં ખુશી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડેપો ખાતે સોમનાથ, મોરબી અને દાહોદ જવા માટે નવીન ત્રણ જેટલી બસોને ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી ના નેતૃત્વ માં લીલી ઝંડી આપીને નવીન બસો ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ,રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક ડેપોને નવી ત્રણ બસો ની સોમનાથ મોરબી દાહોદ જતા આવતા મુસાફરો માટે બસો ની ફાળવણી કરવામાં આવી છે જે મુસાફરો ને વધુ સવલત રૂપ બનશે આ ત્રણ બસોને બુધવારે સવારે ડેપો મેનેજર વિજય ભાઈ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતુ આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ આશાબેન પટેલ, તાલુકા ઉપપ્રમુખ સીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દશરથભાઈ, ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ , કિસાન મોરચાના પરેશ રાવલ , એસ.ટી. યુનિયન ના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ સહિતના મુસાફરો પણ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દાહોદ મોરબી સોમનાથ જતા મુસાફરો માં બસોની વધુ સવલતો મળતા ખુશી વ્યાપી હતી,
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.