GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

આચારસંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો ધ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચુંટણી કાર્યાલય શરૂ કરવા માટેની જરૂરી સૂચનાઓ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનોકાર્યક્રમ નકકી કરવામાં આવેલ છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉકત ચૂંટણીઓ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. ઉકત ચૂંટણીઓ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. આચાર સંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો ધ્વારા ચુંટણી પ્રચાર માટે હંગામી ચુંટણી કાર્યાલય શરૂ કરવા માટેની સુચનાઓ થયેલ છે.
જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલ રાણાવસિયા એ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ રાજકીય પક્ષો/ઉમેદવારો ધ્વારા ચુંટણી પ્રચાર માટે હંગામી ચુંટણી કાર્યાલય શરૂ કરવા માટેનીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
જેમાં જાહેર કે ખાનગી સ્થળે કોઈ પણ પ્રકારના દબાણ ઘ્વારા ચુંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. ધાર્મિક સ્થળોએ કે તેના પરીસરમાં ચુંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની લગોલગ ચુંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચુંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં.ચુંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ફલેગ તથા પક્ષના ચિન્હ/ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર પ્રદર્શિત કરી શકાશે.ચુંટણી કાર્યાલયે પ્રદર્શિત કરેલા બેનરની સાઈઝ ૪ ફુટ ×૮ ફુટ થી વધુ હોવી જોઈએ નહી.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં તાત્કાલીક અસરથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!