BANASKANTHAKANKREJ

નેકારીયા નવા પ્રા.શાળામાં ધોરણ-૫ ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

કાંકરેજ તાલુકાના નેકારીયા નવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૫ ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ-૫ ના બાળકો દ્વારા શાળાને ભેટ અર્પણ કરી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ અને શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.અને શાળાના ઉત્સાહી અને કર્મઠ આચાર્ય જીવણભાઈ જોષી તરફથી બાળકો અને મહેમાનોને રસ-પુરી સાથે ભોજન આપ્યુ હતુ.તમામ બાળકો ઉત્તરોતર પ્રગતિના શોપનસર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે તમામ બાળકો ભાવવિભોર બન્યા હતા.આ પ્રસંગે બ.કા. જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ભુપતજી મકવાણા,સરપંચ મોહનભાઈપટેલ,પૂર્વ સરપંચ વિનાજી ઠાકોર,રમેશભાઈ જોષી,નટુભાઈ
સુથાર, કરશનભાઈ જોષી,પ્રહલાદભાઈ જોષી,વિરેન્દ્રભાઈ મામતોરા, બાબુભાઈ જોષી,ઈશ્વરભાઈ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શિક્ષક મહેશભાઈ, મનિષભાઈ એ કર્યુ હતુ. આભારવિધિ આચાર્ય જીવણભાઈ જોષીએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!