BANASKANTHAKANKREJ

ઈન્દ્રમાણામાં નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગ-રામદેવજી નો પાઠ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ના પ્રજાપતિ લીલાભાઈ પાંચાભાઈ સંવત ૨૦૭૯ ના ફાગણવદ-૮ ને બુધવાર તા.૧૫/૦૩/૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા હતા.સ્વર્ગસ્થની પ્રથમ વાર્ષિક નિર્વાણતિથિ નિમિત્તે સંવત ૨૦૮૦ ના ફાગણવદ-૮ ને મંગળવાર તા.૦૨/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૮.૩૦ કલાક થી સવારે ૪ કલાક સુધી પુત્ર ભાવેશભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ પ્રજાપતિ દ્વારા સંતશ્રી સોહમરામબાપુ સંતસોહમ આશ્રમ રાજપુર, સંતશ્રી દાસબાપુ ટોટાણા,સંતશ્રી કમારામ બાપુ મૈડકોલ,સંતશ્રી ભેમારામબાપુ પ્રજાપતિ ઈન્દ્રમાણાની પાવન નિશ્રામાં રામાધણીના પશ્ચિમિયા પાટનું પૂજન પાટ અધિપતિ ગૌસ્વામી મોતિવન બાપજી ખોડલા, પાટકોટવાળ અણદાભાઈ પ્રજાપતિના સાનિધ્યમાં પાટનું પૂજન કરવામાં આવેલ ત્યારબાદ ભવ્ય ભજન સત્સંગ એવમ શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે શ્રી કાંકરેજી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ જે.પ્રજાપતિ, થરા શહેર ભાજપ ઉપ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, પ્રહલાદભાઈ પ્રજાપતિ રસોયા પાટણ,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન,કાકુભા વાઘેલા, વિરાભાઈ પ્રજાપતિ ઝાલમોર સહિત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીઓ હાજર રહી ભજન સત્સંગનો લાભ લઈ શ્રદ્ધાસુમાન અર્પણ કર્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!