LUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના તમામ કલાકારોને જિલ્લા માહિતી કચેરી મહિસાગર ખાતે નોંધણી કરવા બાબત

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લાના તમામ કલાકારોને જિલ્લા માહિતી કચેરી મહિસાગર ખાતે નોંધણી કરવા બાબત

મહિસાગર જિલ્લામાં ભવાઈ, કથા-કીર્તન, ડાયરો, પપેટ અને નૃત્ય નાટીકા સાથે સંકળાયેલ પરંપરાગત માધ્યમોના કલાકાર વૃંદો/ કલાકાર જૂથ/ વ્યક્તિગત કલાકારોની પ્રમાણીત યાદી તેમના સંપર્ક સૂત્ર અને સરનામા સાથે તૈયાર કરવાની થાય છે. જેથી ઉપરોક્ત જણાવ્યા અનુસાર પરંપરાગત કલાક્ષેત્રે જોડાયેલ તમામ કલાકારોને મહિસાગર જિલ્લા માહિતી કચેરી ખાતે દિન-4માં આધારકાર્ડ, પોતે કલાકાર છે એવું સોગંધનામું, અગાઉ કરેલા કાર્યક્રમની નકલ કે અન્ય દસ્તાવેજ કે જેનાથી તેઓ ખરેખર કલાકાર છે એવું સિદ્ધ થતું હોય તે જમા કરાવવા વિનંતી.

કેટલાક કલાકારોની અરજીઓ પહેલાથી જ અમારી પાસે છે પરંતુ જો કોઈ એક કુટુંબમાં એક કરતા વધારે કલાકારો હોય તો એવું બની શકે કે અમે કોઈ એક જ અરજી સ્વિકારી હોય. આમ, તમામ જે કોઈ કલાકાર હોય તેઓને ફરી દસ્તાવેજ જમા કરાવી અમારી કચેરી ખાતે નોંધ કરાવવા વિનંતી છે. આપની કક્ષાએથી દિન-3 સુધીમાં એટલે કે તા.13 એપ્રિલ 2024 સુધીમાં 54, શાંતિનગર સોસાયટી, મોડાસા રોડ લુણાવાડા જિલ્લા માહિતી કચેરી મહિસાગર ખાતે જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલા દસ્તાવેજો સ્વિકારવામાં નહી આવે. આ દસ્તાવેજો આપવા માટે દરેક વ્યકિતએ રુબરુ આવવું જરુરી નથી કોઈ અન્ય સાથે આપ મોકલી આપશો તો પણ ચાલશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!