GIR SOMNATHGIR SOMNATH

વેરાવળ અભયમ ટીમ સગીરાને આપધાત કરવાના વિચારમાંથી મુક્ત કરી સગીરાને એક નવી દિશા આપી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આવેલ એક ગામમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં ફોન આવેલ. અનેજણાવેલ કે હું એક સગીર દીકરી નો પિતા વાત કરું છું. મારી દીકરી સગીર છે. અને તેનો અભ્યાસ ચાલુ છે. ધોરણ ૧૧ માં. અભ્યાસ કરે છે. તેને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય. તેની જાણ એક પિતા તરીકે મને થતાં મારી દીકરીને સમજાવવની કોશિશ કરી અને આગળ ભણવા માટે કહેલું. પરંતુ દીકરી ના માની. અને કહે લગ્ન તો તેના પ્રેમી સાથે જ કરવા છે. અને મરી જવાની ધમકી આપે તેમજ મરી જ જવું છે તેવા વિચાર કરે છે. પીડિતાના પિતાએ તેમની દિકરીને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી. જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળીયા,કોન્સ્ટેબલ કૃપલબેન ઝણકાત. અને પાઇલોટ બચુભાઈ. સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા. તે દિકરીને મળ્યા તેનું કાઉન્સિલિંગ કરેલ તો જણાવેલ કે હું ૧૭ વર્ષ ની છું. મને મારા ગામના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ઘણા સમય થી પ્રેમસંબંધ હતા. મારે તેની સાથે લગ્ન કરવા હતા. મારા પિતાને મારા પ્રેમસંબંધની ખબર પડતાં તે યુવક મને સ્વીકારવાની ના પાડી દીધી. મારે હવે જીવવું નથી. મને હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. મારી લાગણીનો વિશ્વાસઘાત થયો છે. મને મરવાના જ વિચાર આવે છે. આગળ પણ મરવાની કોશિશ કરી હતી પણ મોત ના આવી. ત્યારપછી પહેલા તો તેમને મનુષ્ય ના જીવનનું મહત્વ સમજાવેલ. તેમજ આત્મહત્યા કરવી એ પાપ છે. અને કાયદાકીય રીતે જોઈએ તો ગુનો છે. અને જિંદગીમાં હજી ઘણું બધું કરવાનું છે. અધવચ્ચે છોડેલો અભ્યાસ પૂરો કરી પગભર બનવાનું છે. તેના માં આત્મવિશ્વાસ પૂરો પાડ્યો. અને મરવાના વિચાર કરતી દીકરી કઈક બનવાની ઈચ્છા રાખવા તૈયાર થઈ. અભયમ ટીમનું કાઉન્સિલિંગ સફળ થયું. અને પ્રેમી ના પ્રેમ ને ભૂલી આત્મહત્યાના કરવા ના વિચાર માંથી મુક્ત કરી. જીવન જીવવા માટે નવી દિશા મળી…

વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!