નારણ ગોહિલ લાખણી
લાખણી ખાતે આવેલા શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે હેતુથી મતદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે ચૂંટણીનું મહત્વ, એક વોટના મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ મતદાન અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી પ્રવિણભાઈ વજીર, પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રકાશભાઈ સુથાર સહિત કોલેજ સ્ટાફ ગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.