વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી મકાનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જયા રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવી આપવા કે તેમ લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃતિ વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યકિતઓ/ઇસમો/વચેટીયાઓના સરકારી કચેરીઓમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો તાત્કાલિક અસરથી આગામી તા.૨૦/૦૮/૨૦૨૪ સુધી રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિમય સને ૧૯૫૧ ની કલમ ૧૩૫ હેઠળ અને ભારતના ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.