સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે ભારે વરસાદને કારણે કાચું મકાન ધરા સહી થયું
અંદર રહેતા પરિવારનું આબાદ બચાવ થયો કોઈ જાનહાનિ નહીં
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે એક કાચું મકાન ભારે વરસાદ ના કારણે ધરાશય થયું :
કોઇ જાનહાનિ નહીં….
અમીન કોઠારી મહીસાગર
તા. ૩૧
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે એક કાચું મકાન ભારે વરસાદ ના કારણે ધરાશય થયું ની ઘટના સામે આવી છે.
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના મેણા ફળિયા વિસ્તારમાં રહેતા મકાન માલિક વિરાભાઇ કાળુભાઇ પારગી જેઓ આ મકાન માં પોતાનું પરિવાર સાથે યાની કે પતિ પત્ની અને પોતાના ત્રણ બાળકો સાથે રહે છે. અને પોતે બિલકુલ ગરીબ વર્ગ માથી આ પરિવાર આવે છે. જેમાં આ ગરીબ પરિવાર વર્ગ પોતાના ઘરે મકાને સુઇ રહ્યાં હતા, ને 30 જુલાઈ 2024 ના રોજ સવારે ભારે વરસાદને કારણે કાચું મકાન પોતાનું તૂટી ફૂટી ધરાશય થયેલ હતુ. અને મકાન માં કોઈ જાનહાનિ સદ નસીબે થયેલ ન હતી અને પરીવાર નો આબાદ બચાવ થયેલ હતો.
આ ધટનાની મકાન માલિકે ગામમાં સ્થાનિક સરપંચ અને ગામના ગ્રામ પંચાયત ના તલાટી ને જાણ કરેલ હતી..
આ ગરીબ પરીવાર નુ કાચું મકાન વરસાદ ના લીધે તુટી પડતાં આ પરીવાર હાલ કફોડી હાલત માં મુકાઈ જવા પામ્યો છે.
તયારે. આ અસરગ્રસ્ત પરીવાર ને જરુરી સહાય વહેલી તકે પુરી પડાય ને આ અસરગ્રસ્ત પરીવાર ને વહેલીતકે આવાસ મંજૂર કરી અપાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર ને સ્થાનિક વહીવટીતંત્ર ત્વરીત કાર્યવાહી કરે તેવી માંગ સમગ્ર પરીવારે કરી છે.