AHAVADANGGUJARAT

Dang: અહો આશ્ચર્યમ..એમ્બ્યુલન્સમાં ડોકટર કે નર્સની સુવિધા આપ્યા વિના જ બાળકને વલસાડ રિફર કરી દેતા મામલો બીચકયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલ ખાતેથી 5 વર્ષનાં બાળક દર્દીને વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.પરંતુ નવાઈની વાત એ છે કે સિવિલ હોસ્પિટલ આહવાનાં અધિક્ષક કે ડોક્ટરો દ્વારા હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડોક્ટર કે નર્સની સુવિધા વગર જ બાળક દર્દીને રામ ભરોસે છોડી દઈ રીફર કરી દેતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. તેવામાં આ બાળક દર્દીની હાલત ગંભીર હોવાથી રસ્તામાં કોઈ આકસ્મિક ઘટના બને તો જવાબદાર કોણ તે પ્રશ્ન બની ગયો હતો. તેમજ આ કિસ્સો સામે આવતા સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી હોય તેવું જણાઇ રહ્યું છે.ડાંગ જિલ્લાનાં ઢોંગીઆંબા ગામ ખાતેનાં યોહાન સોમવેલ ઉ.05 ને  અચાનક ખેંચ આવી જતા તેને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે  સારવારનાં અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે પાંચ વર્ષીય બાળક યોહાનની હાલત ગંભીર હોવાથી તેને વલસાડ રીફર કરવામાં આવ્યો હતો.અને આહવા સિવિલ હોસ્પિટલની ગાડી રજી. નં.GJ -18-G-3950  મારફતે તેને આહવાથી વલસાડ લઈ જવામાં આવ્યો હતો.જો કે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર બાળક દર્દીની હાલત ગંભીર હતી જેથી માર્ગમાં ફરી આ બાળકને છાતીમાં દુખાવો ઉપડતા અને રડવા માંડતા તેની સાથેનાં માતા પિતાએ માર્ગમાં જ એમ્બ્યુલન્સ ઉભી રખાવી હતી.આ એમ્બ્યુલન્સમાં ડોકટર કે નર્સ કે બ્રધર ન હોવાનાં પગલે પટાવાળા અને ડ્રાયવર આ બાળકની સારવાર કરતા નજરે પડ્યા હતા.તેવામાં પ્રશ્ન એ થાય છે કે, આહવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હોસ્પિટલની ગાડીમાં ડોક્ટર કે નર્સ ની સુવિધા કેમ પૂરી પાડવામાં આવતી નથી ? તેમજ આ મામલે ડ્રાઇવર અવિનાશભાઈ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, આ સિવિલ હોસ્પિટલની મહેરબાની છે. અમને તો વલસાડ લઈ જવાની જવાબદારી સોંપવામાં આવે છે.ત્યારે સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક કે ડોકટરોને ડાંગનાં દર્દીઓની કોઈ ચિંતા છે કે નહીં ? જો દર્દીઓને રસ્તામાં કંઈ થાય તો જવાબદાર કોણ ? આ આહવા સિવિલ હોસ્પિટલના અધિકારીઓની બેદરકારી નહી તો શું છે ? આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.તેમજ અહીં ઉલ્લેખનીય છે કે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે દર્દી સાથે એક ડોક્ટર અને નર્સનું હોવું ખૂબ જ જરૂરી છે.તેમ છતાં બેધ્યાનપાણાનું વલણ અપનાવીને બેસેલા સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી  તેમજ ડોક્ટર તથા નર્સ પણ ફાળવવામાં આવતા નથી.જોકે હવે આહવા સિવિલ હોસ્પિટલ દ્વારા તેઓની એમ્બ્યુલન્સમાં ભવિષ્યમાં પણ ડોક્ટર અને નર્સની ફાળવણી કરવામાં આવશે કે નહીં તે તો જોવું જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!