GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર મા આવેલ મણીરત્ન કોમ્પલેક્ષ ના વેપારીઓ ગંદકી થી પરેશાન

ગંદકીના કારણે મચ્છરો નો ઉપદ્રવ વેપારીઓ બીમાર પડે તેવી શંકા

વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર મા આવેલ મણીરત્ન કોમ્પલેક્ષ ના વેપારીઓ ગંદકી થી પરેશાન
ગંદકીના કારણે મચ્છરો નો ઉપદ્રવ વેપારીઓ બીમાર પડે તેવી શંકા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર ના હાર્દ સમા ટીબી રોડ ઉપર આવેલ મણી રત્ન કોમ્પલેક્ષ ના બાજુમાં નાખવા મા આવતો લીલો શુકો કચરા ના કારણે દુકાનદારો વેપારીઓ ભારે પરેશાની મા મૂકાયા છે છેલ્લા ઘણા સમય થી ગોવિંદપુરા જૂથ પંચાયત ને કચરો હટાવી લેવા રજૂઆત કરવા મા આવી છે. પરંતુ હજુ સુધી કચરો હટાવી લેવા મા આવ્યો નથી. જેના કારણે હાલ પડેલા વરસાદને કારણે ભારે ગંદકી ફેલાઈ છે. વેપારીઓ બીમાર પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ અંગે અહીંના સ્થાનીક દુકાનદાર તૃષાલ પટેલ તેમજ સંદીપ ભાઈ સહિતના વેપારીઓએ જણાવ્યું હતુકે છેલ્લા કેટલાક સમયથી ગંદકી ની સમસ્યા છે. ગોવિંદપુરા જૂથ પંચાયત ને આ બાબતે લેખીત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા મા આવી છે પરંતુ હજુ સુધી પંચાયત દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગંદકી થી ઉદભવેલ મચ્છરો થી ઘણા વેપારીઓ ને દવાખાનું જોયું છે. તો ઘણા બીમાર પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો પંચાયત આ બાબતે કોઈ નિકાલ નહિ લાવે તો વેપારીઓ દ્વારા રેલી ધરણાં નો કાર્યકમો આપતા ખચકાઈ શું નહિ તેવી વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી હતી. જોકે પંચાયત આ બાબતે કોઈ નિર્ણય નહીં લે તો અમો ટીડીઓ મામલતદાર તેમજ કલેકટર સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જઈશું એવો આક્રોશ વ્યકત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!