
*”સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ” કાર્યક્રમ સ્થળે પ્રદર્શન સહ વેચાણ માટે સ્ટોલનું આયોજન*
*સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લેતા અધિકારીશ્રીઓ*

તદુપરાંત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના બાળકો દ્વારા બનાવવામાં આવતા મનમોહક દીવડાની પ્રવૃતિઓ પણ ઉપસ્થિત સર્વેએ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, કલેકટર શ્રી કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ જલંધરા સહિતના ઉપસ્થિત અધિકારીઓ તથા મહાનુભાવોએ આ પ્રદર્શન રસપૂર્વક નિહાળી સ્વસહાય જૂથના બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


