
Dahod:દાહોદ તાલુકાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતા ગાંધીનગરના અધિક નિયામક,(જાહેર આરોગ્ય) ડૉ .નિલમ પટેલ
આજરોજ તા.૨૧.૧૧.૨૦૨૪ ના ૧૧.૦૦ કલાકે ગાંધીનગરના માન.અધિક નિયામક (જા.આ.) ર્ડા.નિમલ પટેલ દ્રારા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરતાં આરોગ્યની સેવાઓ બાબતે નિરિક્ષણ કરવામાં આવ્યુ તથા ડીલીવરી થાય છે તે લેબર રૂમની પણ મુલાકાત કરવામાં આવી. તથા સીકલસેલ રોગના નિદાન અંગેના ટેસ્ટ માટે ઇલેકટ્રોફોરોસીસ મશીન નું રૂબરૂ ટેસ્ટ કઇ રીતે થાય તે અંગે મશીન કાર્યપધ્ધતિ અંગે નિરિક્ષણ કરવામાં આવ્યુ. લાભાર્થીઓને આરોગ્ય ની સેવાઓ ગુણવત્તાયુકત મળે તે માટે આરોગ્ય સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યુ.




