DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લામાં સુઈ રહેલ ૩૫ વર્ષીય ભિક્ષુકની મોત રાજકીય રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી 

તા.૨૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન બહાર ખુલ્લામાં સુઈ રહેલ ૩૫ વર્ષીય ભિક્ષુકની મોત રાજકીય રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી

આજરોજ તા.૨૫.૧૧.૨૦૨૪ સોમવાર. ૧૦.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદના રેલ્વે સ્ટેશન બહાર રાત્રીના સમયે ખુલ્લામાં સુઈ રહેલ ૩૫ વર્ષીય પ્રવીણ નામના ભિક્ષુકની મોત નીપજ્યાનું જાણવા મળેલ છે.દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે.જેમાં ઠંડી થી બચવા લોકો ગરમ કપડાં તેમજ તાપણીનો સહારો લઈ રહ્યા છે.ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન બહાર જમીન પર માત્ર ધાબડુ ઓઢીને સુઈ રહેલ દાહોદમાં ભીક્ષા માંગી જીવન ગુજારતા ૩૫ વર્ષીય પ્રવીણ નામના ભિક્ષુકની કડકડથી ઠડીના કારણે મોત નીપજ્યું.જયારે દાહોદ રેલ્વે સ્ટેશન બહાર પેટ્રોલિંગ કરી રહેલ રાજકીય રેલ્વે પોલીસના માણસોએ દાહોદ રેલ્વે સ્ટેશન બહાર સુઈ રહેલ ભિક્ષુકને ઉઠાડવા જતા.ત્યારે કોઈ હિલચલ જોવા ન મળતા અને યુવકનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા રાજકીય રેલ્વે પોલીસે પંચનામો કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!