GUJARATVALSADVANSADA

ગુજરાતમાં વસતા આદિવાસી સમુદાયની રાષ્ટ્રીય મહા સંમેલન અંગે નવસારી જીલ્લાના વાંસદા ખાતે બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

લુપ્ત થતી સંસ્કૃતિને બચાવવા માટે ચિંતન કરાયુ અને સમાજને જાગૃત કરાયો

વલસાડ, તા. ૧ એપ્રિલ : ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના કોંકણા4 કોંકણી4 કુકણા4 કુનબી (ડાંગ) સમાજની રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારીક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત વાંસદાના સમસ્ત કુકણા સમાજ ભવન ખાતે બેઠક યોજાય હતી.
આગામી તા. ૨૭ એપ્રિલ-૨૦૨૫ ના રવિવારના રોજ જવ્હાર4 પાલઘર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન4 વૈચારીક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત સમાજના ભવન ખાતે પ્રકૃતિ પૂજા ગમજુ ચૌધરી હસ્તે જગદીશ પટેલ સાથે કરવામાં આવી હતી. જેમાં કુકણા સમાજની પરંપરા જેવી કે ફાડિયા સાથે ટોપી પહેરાવી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મહાસંમેલન અંતગર્ત નાણાકીય ભંડોળ માટે નીતિ વિષયક બાબતો સાથે માપદંડોની ચર્ચા સાથે કેન્દ્રીય કોરમાં ૫૦% અને જિલ્લા તાલુકામાં ૨૫% ફંડ રાખવા નકકી કરવામાં આવ્યું હતું. આદિવાસી સમુદાયના કોકણા4 કોકણી4  કુકણા4 કુનબી (ડાંગ) સમાજ ગુજરાત4 મહારાષ્ટ્ર4 દા.ન.હવેલી આમ ત્રણેય પ્રદેશમાં સંગઠનની જરૂરીયાત રાષ્ટ્રીય લેવલની કેમ ઉભી થઈ તેમજ આ સંગઠન થકી લોકોએ સમાજને શું આપવાનુ છે. જેના માટે રાષ્ટ્રીય કક્ષાના મહાસંમેલનના ઉદેશ્યો કયા કયા? તેમજ આપણા ગુજરાતના વલસાડ4 ડાંગ4 નવસારી4 તાપી4 સુરતના કોકણા4 કોંકણી4 કુકણા4 કુનબી(ડાંગ) સમુદાય દ્વારા સંસ્કૃતિ બચાવવા4 શૈક્ષણિક સમસ્યા4 રોજગાર સમસ્યાઓ સાથે આવનાર પેઢીને આ રાષ્ટ્રીય મહાસંમેલન થકી આ પ્લેટફોર્મ ઉપરથી વિચારોનું આદાન પ્રદાન સાથે દરેક જિલ્લામાંથી એક સમસ્યા પડકારો માટે મુખ્ય વકતા સાથે સંસ્કૃતિને બચાવવા થીમ આધારીત વાસ્તવિક સંસ્કૃતિનું પ્રદર્શન આ પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિને બચાવવા માદળ નૃત્ય4 દેરા વાઘ4 ઠાકરે નૃત્ય4 પાવરી નૃત્ય4 ડાંગરદેવ4 માવલીદેવ જેવા દેવી-દેવતાઓની વાસ્તવિક કથા આ પ્લેટફોર્મ ઉપરથી રજુ કરવા દરેક જિલ્લાના કેન્દ્રીય કોર મેમ્બર સાથે પ્રમુખ-મંત્રીઓ સુરતના એમ.બી.માહલા4 ડાંગના કાશીરામ બિરારી4 વલસાડના ડો.દિનેશ ખાંડવી4 તાપીના તુલસીરામ ભોયે4 નવસારીના જગદીશ પટેલ તેમજ બેઠકના બંને અધ્યક્ષો આર.ડી.ભગરીયા કુકણા સમાજના પ્રમુખ4 ઉપપ્રમુખ કરસનભાઈ ચવધરી દ્વારા જાહેર આમંત્રણ વૈચારીક રાષ્ટ્રીય સંગઠન સાથે રોડ મેપ દરેક જિલ્લાના પ્રમુખશ્રીને ઉપરોકત અધ્યક્ષો દ્વારા ફાઈલ સાથે તમામ ડોકયુમેન્ટ આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારીક એકતા સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત જાહેર આમંત્રણ દરેક તાલુકાના પ્રમુખ4 મંત્રી4 ખજાનચીશ્રી ને ઘરે-ઘરે આ રાષ્ટ્રીય વૈચારીક સંગઠનનો ઉદેશ્યોનું સમજ બાબતે ટીમો બનાવવા તેમજ આમંત્રણ પત્રિકા આપવા સાથે પરિચય કેળવવા તમામ ગામોના સરપંચ સાથે મહિલા સંગઠનોની સમિતિ પ્રકૃતિ સાથે રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદેશ્યોને સન્માન કરી વધાવી લીધા હતા.
આજની રાષ્ટ્રીય મહાસંમેલનની મિટિંગ ગુજરાતના જિલ્લાના કેન્દ્રીય કોર મેમ્બરો જે.બી.પવાર4 કાંતિલાલ એફ કુનબી4 એમ.બી.માહલા4 ડાંગ ગમજુ ચૌધરી ઈશ્વર માળી4 કાશીરામ બિરારી તેમજ નવસારી જગદીશ પટેલ4 ભગવતીબેન4 વિનયભાઈ4 ચીમનભાઈ4 સાથે સાથે વલસાડમાંથી ડો.દિનેશ ખાંડવી4 ગણેશ4 વાંસતી ગાંવિત સાથે તાપી-વ્યારાથી ભીમસિંગ કોકાણી તુલસીરામ ભોયે4 વિનય કોકાણી સાથે સ્થાનિક મંડળના પ્રમુખ આર.ડી.ભગરીયા4 કરચન ચૌધરી ઉપપ્રમુખ4 મંત્રી અમ્રુત ગાયકવાડ ખજાનચી ધનેશ માહલા સાથે સમ્રગ કારોબારી ઉપસ્થિત રહી માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદેશ્યોની સમજ આપી તમામ સમુદાયોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!