સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
**
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી આદિજાતિ વિસ્તારમાં પંચાયતના મકાન અંગે, મનરેગા યોજનાના કામો વિશે પ્રશ્નો પૂછ્યા હતાં.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ નગરપાલિકા વિસ્તારમાં સમાવિત વિસ્તારો, ગ્રામ પંચાયતના મકાન, પ્રવાસન સ્થળ, જિલ્લામાં રહેતા ગેર કાયદેસર વિદેશી નાગરિકો અંગે, તળાવ ભરવા, નૅશનલ હાઇવે, રેલવે સહિત જન સામાન્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાજ્ય સભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, શાળાઓના ઓરડા પીવાના પાણી અંગે તેમજ પવિત્રધામ યાત્રાધામોના વિકાસ અંગે પ્રશ્ન રજૂ કર્યા હતા.
લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા એ તલોદ શહેરના રસ્તા ના પ્રશ્નો રજૂ કર્યા હતા.
સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
સંકલન ભાગ-૨ માં ‘ધરતીઆંબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ’ અભિયાન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ હતી.
રોડ સેફ્ટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરી જિલ્લા કલેકટર શ્રી એ અમલીકરણ અધિકારીઓની જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.
માય ભારત – નાગરિક સંરક્ષણ સ્વયં સેવક તરીકે જોડાવવા – નોંધણી કરાવવા જિલ્લા કલેકટર શ્રીએ બેઠકમાં અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રોબેશનર આઈએએસશ્રી રોહિતભાઈ ડોડીયા,નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્સેના, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
જયંતિ પરમાર સાબરકાંઠા




