ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું

આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું.

 

 

તાહિર મેમણ – 15/07/2025 – આણંદ માં ઘણી જગ્યા એ રસ્તા ની હાલત ખરાબ થઈ ગઈ છે જેના કારણે ટ્ટ્રાફિક સમસ્યા સર્જાય છે ગંદગી ફેલાય છે હવે ખરાબ થયેલ રોડ નું રીપેરીંગ કામ સુરુ કરવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે અને દાંડી માર્ગ ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા, રોડ રસ્તા નું સમારકામ કરવું, તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવા અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

 

માર્ગ અને મકાન વિભાગ, આણંદ ના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઇ ગઢવી ના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓ જેમાં ગ્રામ્ય અને નેશનલ હાઇવે ના રસ્તાઓ ઉપર ખાડા પડ્યા હોય તેવા રસ્તાઓનું દૂરસ્તી કામ, પેચ વર્ક, હોટ મિક્સ વર્ક હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વસો દેવા તળપદ રોડ, વલેટવા રામોલ રોડ, મહિયારી ચીખલીયા રોડ, ગોલાણા ગલિયાણા રોડ, ખેડા માતર તારાપુર રોડ, તારાપુર મોરજ જીચકા રોડ નું દૂરસ્તી કામ આજે કરવામાં આવ્યું હતું.

 

શ્રી ગઢવીએ વધુમાં જણાવ્યું કે આણંદ જિલ્લાના ગ્રામ્ય અને નેશનલ હાઇવે ના તમામ રસ્તાઓ તબક્કાવાર રીપેરીંગ ની કામગીરી, મોટરેબલ બનાવવા માટે યુદ્ધના ધોરણે ટીમો કામે લગાડવામાં આવી છે, આમ, આણંદ જિલ્લાના માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓનું દુરસ્તી કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!