GUJARATKUTCHMUNDRA

ભારતીય સેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ભવિષ્યનું નિર્માણ.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સહયોગથી આ શાળા શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર બની રહી છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

• રાષ્ટ્ર નિર્માણમાં જાહેર-ખાનગી ભાગીદારીની શક્તિનું જીવંત ઉદાહરણએટલે પાઈનવુડ સ્કૂલ

• પડકારજનક વાતાવરણમાં, પુંચના હમીરપુર ગામમાં ભારતીય સેના અને અદાણી ડિફેન્સ દ્વારા એક શાંત ક્રાંતિ

• અહીં પ્રી-પ્રાઈમરીથી ધોરણ 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે

• ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને સ્થાનિક રહેવાસીઓનો વિશ્વાસ જીતવા માટે કાર્યરત

મુન્દ્રા,તા-૧૪ ઓગસ્ટ : જમ્મુ અને કાશ્મીર (J&K)માં નિયંત્રણ રેખા (LoC) નજીક પુંચ જિલ્લાના હમીરપુર ગામમાં આવેલી પાઈનવુડ સ્કૂલ આજે ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતીય સેનાના ઓપરેશન સદભાવના અને અદાણી ડિફેન્સના સહયોગથી આ શાળા શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર બની રહી છે. આ શાળા માત્ર શિક્ષણનું નવુંપ્રકરણ નથી ખોલી રહી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં જાહેર-ખાનગી ભાગીદારીની તાકાતનો સજીવ પુરાવો પૂરો પાડે છે.પાકિસ્તાન સરહદે LoC નજીકના આ અંતરિયાળ ગામમાં વારંવાર થતા સંઘર્ષના કારણે બાળકોના નિર્દોષ હાસ્ય અને ખુશી ઘણીવાર દબાઈ જતાં હતાં. આવા પડકારજનક વાતાવરણમાં, પુંચના હમીરપુર ગામમાં ભારતીય સેના અને અદાણી ડિફેન્સ દ્વારા એક શાંત ક્રાંતિ આકાર લઈ રહી છે. ભારતીય સેનાદ્વારા 1995માં ઓપરેશનસદભાવના હેઠળ શરૂ થયેલી માત્ર 35 વિદ્યાર્થીઓ સાથેની પાઈનવુડ સ્કૂલ, આજે એક સમૃદ્ધ શૈક્ષણિક સંસ્થામાં રૂપાંતરિત થઈ છે. હવે અહીં પ્રી-પ્રાઈમરીથી ધોરણ 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.ભારતીય સેના દ્વારા સંચાલિત આ પહેલ ભારતના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને સ્થાનિક રહેવાસીઓનો વિશ્વાસ જીતવા માટે કાર્યરત છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તેમજ અદાણી ફાઉન્ડેશન આ પરિવર્તનમાં ભારતીય સેના સાથે ખભેખભો મિલાવી રહ્યા છે. તેમણેપાઈનવુડ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં 510 બેઠકોનું અત્યાધુનિક ઓડિટોરિયમ અને સુરક્ષિત સીમા દિવાલનું નિર્માણ સામેલ છે.LoC નજીકના અસ્થિર વાતાવરણમાં કાર્યરત આ શાળાની મજબૂત દિવાલો વિદ્યાર્થીઓને સીમાપારના જોખમોથી રક્ષણ આપે છે, જ્યારે ઓડિટોરિયમ શિક્ષણના નવા દ્વાર ખોલે છે. આ ઓડિટોરિયમ અભ્યાસેતર પ્રવૃત્તિઓ, પ્રતિભા પ્રદર્શન અને સમુદાયના જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પહેલનુંઉદઘાટન મેજર જનરલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, કોર્પોરેટ પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.1990ના દાયકામાં શરૂ થયેલ ઓપરેશન સદભાવના એ ભારતીય સેનાનો મુખ્ય આઉટરીચ કાર્યક્રમ છે, જે જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ અને વિશ્વાસને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ શાળાઓ, વ્યાવસાયિક કેન્દ્રો અને તબીબી શિબિરોની સ્થાપના દ્વારા દાયકાઓથીચાલતી અશાંતિ, સ્વ-નિર્ણયના અધિકારો અને સાંપ્રદાયિક હિંસાથી પીડાતા સમુદાયો સાથે સેતુ બનાવવાનો છે.પાઈનવુડ સ્કૂલ જેવી પહેલો દ્વારા અદાણી જૂથ ભારતના સરહદી સમુદાયોને સશક્ત બનાવવાના વિઝનને વધુ મજબૂત કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!