GUJARATSURENDRANAGARTHANGADHWADHAWAN

સુરેન્દ્રનગર મનપા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા

તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી) અધિનિયમ વિશે માહિતગાર કરાયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોમ્યુનિટીહોલ, જોરાવરનગર ખાતે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત PM SVANidhi યોજના અન્વયે “સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ” માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના UCD વિભાગ સબંધિત આ કાર્યક્રમમાં FSSAIના ટ્રેનર માલાબેન કોટડીયા દ્વારા તમામ “સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ”ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટે પ્રેઝન્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી આ તકે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પિયુષ સાવલિયાએ ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફટી)ના મુદ્દા, વ્યક્તિગત સ્વચ્છતા અને સલામત ખોરાક હેન્ડલિંગ પદ્ધતિ વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે મહાનગર પાલિકા દ્વારા હોકર ઝોન, ફૂડ ઝોન અને વેજીટેબલે માર્કેટ ઉભું કરવામાં આવનાર છે જે બાદ શહેરીજનોને એક જ જગ્યાએથી ફ્રૂટ, શાકભાજી જેવી તમામ વસ્તુઓ મળી રહેશે શેરી ફેરિયાઓ નાના-મોટા ધંધો કરી આત્મનિર્ભર બને એ માટે સરકારશ્રી દ્વારા PM SVANidhi જેવી અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આપણા સૌની સલામત ખોરાકનું વેચાણ કરવાની અને સ્વચ્છતા જાળવવાની ફરજ બને છે આ કાર્યક્રમના અંતે તમામ સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ લીધા હતા આ પ્રસંગે સન્માનવિધિ તથા આભારવિધિ શ્રી ગીરીશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, નાયબ કાર્યપાલક ઈજનેર કે. જી. હેરમા, એકાઉન્ટન્ટ મહેન્દ્રસિંહ ઝાલા, UCD વિભાગના અધિકારી હિતેષભાઇ રામાનુજ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!