
વાત્સલ્યમ સમાચાર
વાંસદા નવસારી
વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, નવસારી દ્વારા આજે તા.૦૬/૧૨/૨૦૨૫, શનિવારના રોજ શ્રી એસ.વી.જે.કે.એમ.જી.પી લહેરી વાડી(મોચીની વાડી)ઉનાઈ માતા મંદિર, ઉનાઈ ગામ ખાતે સવારે ૦૯:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ મેળામાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આયુર્વેદ અને હોમીયોપેથીક પધ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે.
આ આયુષ મેળામા સંધિવાત તેમજ સાંધાના રોગો માટે તુરંત લાભદાયક એવી પંચકર્મ સારવાર, આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પધ્ધતી દ્વારા પેઇન મેનેજમેન્ટ, ડાયાબીટીસ-હદયરોગ-બ્લડ પ્રેશર, ગેશ, અપચો, કબજીયાત,એસીડીટી,જુનો મરડો વગેરે પાચન સંબધીત રોગો, શ્વાસ, કફ, જૂની શરદી, ઉધરશ જેવા શ્વશન સંબધિત રોગો,ધાધર ,ખરજવું ,ખીલ ,સોરીયાસીસ ઊંદરી,જેવા ચામડીના તેમજ અકાળે વાળ સફેદ થવા ખરવા વગેરે રોગો, નિ:સંતાનપણું, માસિકની સમસ્યા સફેદ પાણી વગેરે સ્ત્રી રોગ સંબંધિત રોગોની સારવાર આપવામાં આવશે. આયુષ મેળામાં બાળકોમા રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આરોગ્ય માટે લાભપ્રદ આયુર્વેદ ઔષધિ યુક્ત હર્બલ ટી નું વિતરણ કરવામાં આવશે.યોગ નિષ્ણાત દ્વારા યોગ અને પ્રાણાયામ વિષે માર્ગદર્શન આપવામાં આવશે,વૃધ્ધાવસ્થાના રોગોની વિશેષ સારવાર, પ્રકૃતિ પરીક્ષણ અને પથ્યાપથ્ય માર્ગદર્શનનુ આયોજન કરવામા આવશે. જાહેર જનતાને આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ થાય અને દૈનિક જીવનમાં આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરે તે હેતુથી આયુર્વેદ ઔષધિય વનસ્પતિઓનુ પ્રદશન તેમજ જરુરી ચાર્ટ પ્રદર્શન કરવામા આવશે. આ કેમ્પનો જાહેર જનતા બહોળા પ્રમાણમાં લાભ લે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની અખબારી યાદીમાં અપીલ કરાઇ છે.




