HALVAD:હળવદ અદાણી કંપનીનાં વિજપોલની કામગીરીમાં વળતર બાબતે ઘનશ્યામપુર ગામે ખેડૂતોએ રોડ કયૉ ચક્કાજામ

HALVAD:હળવદ અદાણી કંપનીનાં વિજપોલની કામગીરીમાં વળતર બાબતે ઘનશ્યામપુર ગામે ખેડૂતોએ રોડ કયૉ ચક્કાજામ
હળવદ પંથકમાં ખેતરોમા વિજ લાઈનની કામગીરીથી ખેડૂતોમાં રોશની લાગણી જોવા મળી રહી છે ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ખેતરોમાં વિજલપોલ નાખવાની વળતર બાબતે ખેડૂત અને વીજ કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા જાણવા મળતી માહિતી મુજબ અદાણી કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટકશન સાથે ખેડૂતના ખેતરમાં પાવરગ્રીડ લાઈન બાબતે ખેડૂતની વગર મંજૂરીએ ખેતરમાં નાખવા જતા ખેડૂતોએ ઇનકાર કરવા છતાં કંપની દાદાગીરી કરતા ના છૂટકે ત્રણ ખેડૂતોએ કેનાલમાં પોતાની જાન આપી આપઘાત કરી લેવા જતા હળવદ પોલીસ દ્વારા તેમને ડીટેઇન કરવામાં આવ્યા હતા જે બાબતની ઘનશ્યામપુર અને આજુબાજુના લોકોમાં જાણ થતા મોટી સંખ્યામાં ઘનશ્યામપુર ગામે લોકો એકત્ર થઈ ચકાજામ કર્યો હતો.હળવદ પોલીસે ખેડુતોને ડિટેઈન કરતા ગ્રામજનોએ ખેડુતોને મુક્ત કરવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો.ચક્કાજામ થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.અંતે ત્રણેય ખેડૂતોને મુક્ત કરતા આખરે મામલો થાળે પડ્યો હતો.







