GUJARATSINORVADODARA

સિનોર રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાનાં સિનોર ખાતે આવેલ રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સાથે સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી.
મહોત્સવ દરમિયાન પૂજા-અર્ચના, હવન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજતું રહ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આયોજકો દ્વારા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!