BANASKANTHAKANKREJ
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ,ઉપપ્રમુખ અને સહમંત્રીની ખાટલા બેઠક યોજાઈ.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી. પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની ગત તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી થતા કરોબારી ની રચના રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે આજરોજ તા.૧૪/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ સમાજકાર્યમાં સહયોગ આપવા કાંકરેજી પરગણાના ગામોમાં સવારે ૮ કલાકે ચાંગા,૯ કલાકે જાખેલ,૧૦ કલાકે પાદર,૧૧ કલાકે જોટાડા પહોંચેલ ત્યારે પ્રજાપતિ ભેમાભાઈ ધરમસીભાઈ ના નિવાસે આશા દિનેશભાઈ હેમાભાઈએ કંકુતિલક કરી ઝોટાડા પ્રજાપતિ તેરવાડિયા પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.બપોરે ભેમાભાઈ ને ત્યાં ભોજન લઈ ૧ કલાકે ઈસરવા,૩ કલાકે નાથપુરા, સાંજે ૪.૩૦ કલાકે કુડવા,૫ કલાકે કંથેરિયા,૫.૩૦ કલાકે વખા વગેરે ગામોમાં ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું હતું.રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ એસ. પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરશું તો જ પરીણામ મળશે ગામે ગામે ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે.ગામે ગામે ખાટલા બેઠક યોજી મજબુત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે.જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડી.જે. એન્ટ્રી.,હલ્દી રસમ,કંકુ પગલાં જેવા દુષણોથી દુર રહેવાની ખાત્રી મળી છે.આ કાર્યક્રમમાં ભેમારામ ભગત ઈન્દ્રમાણા, સગથાભાઈ રવેલ,શિવાભાઈ વરસડા,રમેશભાઈ ઈન્દ્રમાણા, કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,જયંતીભાઈ ફોરણા,જયંતીભાઈ કુંવારવા સહિત દરેક ગામોમાંથી અનેક આગેવાનો સહિત પ્રજાપતિ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા




