AHAVADANGGUJARAT

નવસારી: કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ચીખલીના એસ.ટી.બસ ડેપોને  રૂ.૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરતા બસ ડેપોની સુવિધામાં વધારો

* મંત્રીશ્રી નરેશભાઈ પટેલે એસ.ટી. બસ ડેપોના ડ્રાઈવર અને કંડકટરોની કાર્યનિષ્ઠા તથા સેવાભાવને વંદન કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો

{નવનિર્મિત ચીખલી બસ ડેપો ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને મુસાફરી માટે એક મહત્વનો આધારબિંદુ બનશે} – આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

નવસારી જિલ્લાના ચીખલી મુકામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ.ના નવ્ય પ્રકલ્પરૂપે નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બસ ડેપો ચીખલી શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકો માટે મુસાફરીની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરનાર સાબિત થશે.

આ અવસરે આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચીખલી તાલુકામાં તૈયાર થયેલ આ અત્યાધુનિક બસ ડેપો દ્વારા મુસાફરોને વધુ સુગમ, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એસ.ટી. બસ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર તથા કંડકટરોની નિષ્ઠાપૂર્વકની ફરજભાવના અને અવિરત સેવાભાવને હૃદયપૂર્વક વંદન કરી તેમનો આત્મીય આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સમયસર સેવાને પ્રાથમિકતા આપીને તેઓ રાજ્યની જનસેવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

             સાથે જ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય જનતાને અત્યંત ઓછી ભાડા દરે સલામત, સુલભ અને વિશ્વસનીય પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કરીને, આ સેવાઓને સાચા અર્થમાં સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે નિગમની જનહિતકારી કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે એસ.ટી. સેવા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતી જીવનરેખા સમાન બની છે.

        મંત્રીશ્રી નરેશભાઈ  પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મૂળમંત્રને અનુસરીને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ‘નાગરિક સુવિધાઓ પ્રથમ’ના સંકલ્પને સફળતાપૂર્વક સાકાર કરવામાં આવી રહ્યો છે. નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તારોના લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મુસાફરીમાં સરળતા તેમજ સુવિધાનો વ્યાપ વધારશે.

         આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશ પટેલ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગના અધિકારીશ્રી માર્તુઝા તથા એસ.ટી.ડેપોના ડ્રાઈવર કંડકટર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦

બોક્સ આઇટમ :

 ચીખલી નવનિર્મિત બસ સ્ટેશનમુસાફર સુવિધાઓ અને માળખાગત સગવડો :

 

• પ્લેટફોર્મની સંખ્યા : ૧૨

 

o મુસાફરો માટે બેઠક વ્યવસ્થાવાળો વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, પાસ રૂમ,કેન્ટીન (કિચન સહિત), વોટર રૂમ

o પાર્સલ રૂમ, ઈલેક્ટ્રિક રૂમ

o સ્ટોલ : ૪ નંગ

o ડ્રાઈવર–કંડકટર રેસ્ટ રૂમ (એટેચ્ડ ટોઈલેટ સહિત)

o લેડીઝ કંડકટર રેસ્ટ રૂમ (એટેચ્ડ ટોઈલેટ સહિત)

o લાઈન ચેકિંગ રૂમ (એટેચ્ડ ટોઈલેટ સહિત)

o બેબી ફીડિંગ રૂમ

o મુસાફરો માટે ૫ યુરીનલ, ૭ શૌચાલય અને ૨ બાથ

o સરક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રિ-મિક્સ ફ્લોરિંગ

o વિકલાંગજન સુવિધાઓ : વિશેષ શૌચાલય તથા સ્લોપ-રેમ્પ

Back to top button
error: Content is protected !!