
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માંડવીના મસ્કા ખાતે એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે રવિવારે વિનામૂલ્યે કાન-નાક-ગળાના ENT નિદાન કેમ્પનું આયોજન
મુંદરા, તા. 22:
અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન સ્વ. શ્રી તારાચંદભાઇ જગશીભાઈ છેડાની પ્રેરણાથી તથા સંસ્થાના પ્રમુખશ્રી જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા સંચાલિત માંડવી તાલુકાના મસ્કા મુકામે આવેલી એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે એક વિશેષ તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. ૨૨/૦૩/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાનારા આ કેમ્પમાં જાણીતા ઈ.એન.ટી. નિષ્ણાત ડૉ. રશ્મિ સોરઠીયા દ્વારા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે.
કેમ્પમાં કઈ બીમારીઓનું નિદાન થશે?
આ કેમ્પમાં કાન-નાક-ગળાને લગતી વિવિધ વ્યાધિઓ જેવી કે:
* કાન: પડદામાં કાણું, સડો, ચોંટેલી હાડકી, કાનમાં મસા કે બહેરાશ.
* નાક: સાઇનસ, ત્રાંસો પડદો, નાકના હાડકાનું ફ્રેકચર.
* ગળું: કાકડા, ચાંદા, લાળગ્રંથિમાં રસોળી, સ્વરપેટીના મસા.
* ગંભીર બીમારીઓ: થાઈરોઈડની ગાંઠ કે કેન્સર, જીભ કે ગળાનું કેન્સર, જડબાના હાડકાનું ફ્રેકચર.
* અન્ય: અન્નનળી કે શ્વાસનળીમાં ફસાયેલા પદાર્થની દૂરબીનથી તપાસ.
અગત્યની સૂચનાઓ:
* કેમ્પમાં તપાસ અને નિદાન સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેશે, જ્યારે દવાઓનો ચાર્જ અલગથી લેવામાં આવશે.
* તપાસ માટે આવનાર તમામ દર્દીઓએ પોતાના જૂના રિપોર્ટ અને ફાઈલ સાથે લાવવા અનિવાર્ય છે.
* વધુ માહિતી કે પૂછપરછ માટે સંપર્ક નંબર: ૬૩૫૯૬ ૬૬૩૫૯ પર સંપર્ક કરી શકાશે.
કચ્છના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને આ નિદાન કેમ્પનો મહત્તમ લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




