GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ

 

 

MORBI:મોરબી: ફૂટપાથ પર રહેતા ૩૦ નિરાધાર લોકોને આશ્રયગૃહમાં ખસેડાયા, પાલિકા દ્વારા ‘નાઈટ-ડ્રાઈવ’ યોજાઈ

શહેરમાં ઠંડી અને અન્ય ઋતુગત મુશ્કેલીઓ વચ્ચે ફૂટપાથ પર જીવન ગુજારતા ઘરવિહોણા લોકોની સુરક્ષા માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી (UCD) શાખા એક્શનમાં આવી છે. તાજેતરમાં ૨૩ માર્ચના રોજ રાત્રિના સમયે ખાસ ‘નાઈટ-ડ્રાઈવ’ યોજીને ૩૦ જેટલા નિરાધાર લોકોને આશ્રયગૃહમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
​માનવીય અભિગમ સાથે કાઉન્સેલિંગ માનનીય કમિશ્નર અને નાયબ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા અને સંસ્થાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા લોકોની મુલાકાત લેવામાં આવી હતી.

 


​કાઉન્સેલિંગ: સ્ટાફ દ્વારા સ્થળ પર જ લોકોનું કાઉન્સેલિંગ કરી તેમને આશ્રયગૃહના ફાયદા સમજાવવામાં આવ્યા હતા.
​હેતુ: ઠંડીને કારણે નિરાધાર લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે માટે તેમને સુરક્ષિત છત પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ ડ્રાઈવ દરમિયાન કુલ ૩૦ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ પહોંચાડવામાં આવ્યા હતા.
​નિઃશુલ્ક સુવિધાઓ અને સંચાલન મોરબીમાં કાર્યરત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે નિરાધાર લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
​આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અહીં રહેવા તેમજ જમવા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

​મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે પરિવાર ઘરવિહોણું જણાય, તો તેમને આશ્રયગૃહનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા. વધુ માહિતી અથવા સહાય માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકાશે:​સંપર્ક નંબર: 9726505410

Back to top button
error: Content is protected !!