THARADVAV-THARAD
આનંદનગર પ્રા.શાળા થરાદ-૩ માં તિથિભોજન આપવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-3 માં તારીખ 27/03/2026 ને શુક્રવાર ના રોજ શાળામાં ચાલતી આંગણવાડી તથા બાલવાટીકા તથા ધોરણ ૧ થી ૮ ના 910 બાળકોને તથા શાળા સ્ટાફને દાતાશ્રી પ્રજાપતિ દિનેશભાઇ રાણાભાઈ ગામ અભેપુરા તરફથી શાળાના ના બાળકોને ખુબજ પ્રિય એવું મોહનથાળ,પૂરી -શાક,દાળ-ભાત,પાપડ સાથેનું તિથિભોજન આપવામાં આવ્યું.બાળકોએ ખુબજ હોસે હોસે ભોજન લીધું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ કે. મણવર તથા સ્ટાફ પરિવારે દાતાશ્રીને પુસ્તક તથા સ્મૃતિચિહન આપી સન્માનિત કરેલ. અને શાળા પરિવાર દાતાશ્રી ખુબજ પ્રગતી કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ.



