JODIYA જોડીયાના કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે

JODIYA જોડીયાના કુન્નડ ગામે સ્વયંભૂવિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
જોડિયા તાલુકાના કુન્નડ ગામે આવેલ સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામમાં દર વર્ષની જેમ જ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર સુદ પૂનમ તા. ૦૨-૦૪ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.
ગુરુવાર તા. ૦૨-૦૪ના રોજ સવારે ૭ થી ૯ દરમ્યાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ૯ થી ૧૧ સુધી હનુમાનજી રુદ્રાભિષેક કરવામાં આવશે. સવારે ૧૧ થી ૧૨ સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દર એક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહુતિ આપવામાં આવશે. બાપરે ૧૨ થી ૧૨-૩૦ શ્રીફળ હોમવાની વિધિ અર્થાત્ પૂર્ણાહુતિ, ત્યારબાદ બ્રહ્મ ભોજન તથા સમૂહ ભોજન રાખવામાં આવેલ છે.
સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલિયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી સાકેતવાસી શ્રી જગદેવદાસજી બાપુએ મહોત્સવનો લાભ લેવા સમસ્ત ભક્તજનો, ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.









