GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ૪ થી એપ્રિલે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

 

 

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ૪ થી એપ્રિલે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

 

​અત્યાર સુધીના ૫૪ કેમ્પમાં ૧૫,૨૩૬ દર્દીઓએ લીધો લાભ; ૬,૯૭૨ લોકોના સફળ ઓપરેશન સંપન્ન

શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ ખાતે આગામી ૪ એપ્રિલ ૨૦૨૬, શનિવારના રોજ ભવ્ય વિનામૂલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. રમણીકભાઈ જગજીવનભાઈ પોપટના સ્મરણાર્થે પોપટ પરિવાર (હ. નીતિનભાઈ, દીપકભાઈ – રિદ્ધિ ફટાકડા, ચેરમેન-મોરબી નાગરિક બેંક) ના સહયોગથી યોજાશે.

​તારીખ: ૪-૪-૨૦૨૬, શનિવાર ​સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક ​સ્થળ: શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી.
​સહયોગ: શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી.​આ કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો. બળવંતભાઈ, ડો. સુદામા અને તેમની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે.: ટાંકા વગરનું ઓપરેશન, અત્યાધુનિક ફેકો મશીન દ્વારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડવામાં આવશે.: ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં તપાસ માટે આવનાર દરેક દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. આ કેમ્પ માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી.​ઉલ્લેખનીય છે કે દર મહિનાની ૪ તારીખે યોજાતા આ સેવાકીય યજ્ઞમાં છેલ્લા ૫૪ મહિનામાં કુલ ૧૫,૨૩૬ લોકોએ તપાસનો લાભ લીધો છે અને ૬,૯૭૨ જરૂરિયાતમંદ દર્દીઓના વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.​વધુ માહિતી માટે નીચેના નંબરો પર સંપર્ક કરવા જલારામ ધામ દ્વારા યાદીમાં જણાવાયું છે:​ગીરીશભાઈ ઘેલાણી: ૯૮૨૫૦ ૮૨૪૬૮
​હરીશભાઈ રાજા: ૯૮૭૯૨ ૧૮૪૧૫ ​નિર્મિતભાઈ કક્કડ: ૯૯૯૮૮ ૮૦૫૮૮ ​અનિલભાઈ સોમૈયા: ૮૫૧૧૦ ૬૦૦૬૬

Back to top button
error: Content is protected !!