AMRELIKHAMBHA

અમરેલી જિલ્લામાં ખાંભા પંથકના એક ગામમાં મધરાત્રે સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો

અમરેલી જિલ્લામાં ખાંભા પંથકના એક ગામમાં મધરાત્રે સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને ગાયનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે અને તેઓએ સુરક્ષાની માંગ ઉઠાવી છે.

આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગ્રામજનો દ્વારા સિંહના વધતા અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.

રીપોર્ટર -સરફરાઝ ખોખર અમરેલી

Back to top button
error: Content is protected !!