દાહોદ રામાનંદ પાકૅ દ્વારા શંખદ્વારનું ઉદઘાટન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

તા.૧૨.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાકૅ દ્વારા શંખદ્વારનું ઉદઘાટન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સોથી વધુ સેવા કાર્ય કાળ ના ઉપલક્ષ્મા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો.રાષ્ટીય કાયૅ કમ તેમજ સામાજિક પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સેવાકાર્ય અંતર્ગ
ત રામાનંદ પાકૅ પરિસર પાસે શંખદ્વાર નું ઉદઘાટન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ દાહોદ ના લોકલાડીલા સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર સાહેબ તથા ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી .નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા.ઉપ પ્રમુખ જુગલબેન પંડ્યા.કારોબારી અધ્યક્ષ વિમલભાઈ વડવાળા.નગરપાલિકા કાઉન્સિલરઓ.ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા.સંગઠન ના હોદ્દેદારો તથા રામાનંદ પાકૅ દાહોદ પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા



