ઈન્દ્રમણા ખાતે ભજન-સત્સંગ -ભોજન પ્રસાદ પીરસાયો.
ઈન્દ્રમણા ખાતે ભજન-સત્સંગ -ભોજન પ્રસાદ પીરસાયો.

ઈન્દ્રમણા ખાતે ભજન-સત્સંગ -ભોજન પ્રસાદ પીરસાયો.
ઓગડ તાલુકાના ઈન્દ્રમણાના પ્રજાપતિ અગરબેન બબાભાઈ, પ્રજાપતિ બબાભાઈ અંબારામભાઈ અને પૌત્ર ક્રિશ જગદીશભાઈ સજોડે ઉત્તર ભારતની પવિત્ર તીર્થયાત્રા પૂર્ણ કરી ઘેર પધાર્યા ત્યારે ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.તીર્થંયાત્રા નિમિત્તે ભક્ત ભેમારામ મહારાજ ની પાવન નિશ્રામાં પાટણ ના PSI શાંતિભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમા ૧૩મી જૂન ૨૦૨૬ ને શનિવારના રોજ રાત્રે સુપુત્ર જગદીશભાઈ તથા પરેશભાઈ અને નાથાભાઈ કેશાભાઈ દ્વારા ભોજન પ્રસાદ બાદ ભવ્ય ભજન સત્સંગનું આયોજન કરેલ. ત્યારે શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ પુનાભાઈ, શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ મહેસાણાના પ્રમુખ ભગવતીબેન,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટ કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, ઈન્દ્રમાણા પ્રાથમિક શાળાના આચાર્ય રેવાભાઈ દેસાઈ ભુવાજી ગોરધનભાઈ પ્રજાપતિ ઝોટાડા,ભુવાજી દિનેશભાઈ પ્રજાપતિ અસાલડી,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,મનસુખભાઈ પ્રજાપતિ પાટણ સહીત સગા સ્નેjહીજનો અને જ્ઞાતિગંગા વિશાળ સંખ્યા મા પધારી પવિત્ર પ્રસંગની શોભા વધારી હતી. પધારનાર આગેવાનોનું પરિવાર દ્વારા સન્માન કરી ભજન સત્સંગ લાભ લીધો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





