તાહિર મેમણ : ભારતીય સંસ્કૃતિને વિદેશમાં નામના અપાવનાર સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની આજે ડેડીયાપાડાના ચોપડી ગામ ખાતે પ્રાથમિક શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી અને બાળકોને ગરમ વસ્ત્રો અને ફૂડ વિતરણ કરવામાં આવ્યું. તેમજ બાળકોના વાલીઓ સાથે સંવાદ કરીને શિક્ષણ અને કેળવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ, દેડીયાપાડા જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા,મોરજડી જિલ્લા પંચાયત સભ્ય સોમભાઈ વસાવા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારીયા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.