વિજાપુર ગામના યુવકને ભીમ રત્ન એવોર્ડ મળતા સમાજના લોકોમાં આનંદની લાગણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગામ ના ભરતકુમાર દેવજીભાઈ પરમાર ના પુત્ર ડૉ તપન ભરતભાઈ પરમાર ને અમદાવાદ શાહીબાગ ખાતે યોજાયેલ 106(છોતેર) પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ અમદાવાદ રજત જંયતી મહોત્સવ માં વિજાપુર તાલુકાના રોહિત સમાજના ભીમરાવ ચોક ખાતે રહેતા યુવક ડૉ તપન પરમાર ને ભીમ રત્ન એવોર્ડ તેમજ સન્માન પત્ર આપી સમ્માનિત કરવા આવ્યા હતા જેને લઇને રોહિત સમાજના લોકોમાં આનંદની લાગણી જન્મી હતી ડો બાબા સાહેબ આંબેડકર સાહેબના નામ સાથે મળેલ ભીમ રત્ન એવોર્ડ થી ડો તપન પરમાર અને પરિવાર જનો માં હર્ષ સાથે ગૌરવ અનુભવ્યો હતો ભીમ રત્ન સ્વીકારતા જણાવ્યું હતુંકે તેઓ સમાજ ના લોકો માટે ડો બાબા સાહેબ દ્વારા બતાવેલા નિર્દેશ નું પાલન કરી સમાજ ના લોકો તેમજ અન્ય સમાજના લોકો માટે મારી સેવાઓ અવિરત પણે આપતો રહીશ એવોર્ડ થી સન્માન કરવામાં આવતાની સાથે વિજાપુર ના રોહિત સમાજના લોકોમાં આનંદની લાગણી ઉભી થવા પામી હતી