વિજાપુર ભાજપના કાર્યાલય પાછળ રેલ્વે ફાટક નજીક આવેલ ચામુંડાનગર આવેલ જોગણી માતાના મંદિર માં બકરા ની બલી ચઢાવતાં પાંચ શખ્સો સામે ફરીયાદ
બે બકરા માંથી એક બકરો બચાવી દર્શના એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ભાજપના કાર્યાલય પાછળ રેલ્વે ફાટક નજીક આવેલ ચામુંડાનગર ખાતે આવેલ દેવીપૂજક સમાજનો જોગણી માતાના મંદિર આવેલું છે. જેમાં દેવીપૂજક સમાજના ઈસમો તરફથી જોગણી માતાને બાધાનો માનેલા બકરાની બલી ની વિધિ અંગેની અમદાવાદ રહેતા દર્શના એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ ના સદસ્ય ને મોબાઈલ મારફતે જાણકારી મળતા ટ્રસ્ટ ના સભ્યો ચામુંડાનગર આવેલ જોગણી માતાના મંદિરે આવી દેવીપૂજક ના લોકોની બકરાની બલી રોકી હતી પરંતુ જેમાં બે માનતા ના બકરા પૈકી એક બકરા ને બચાવી લેવામાં આવ્યો હતો. જયારે એક બકરા ની ચઢાવેલ બકરાની બલી ના ફોટા સ્થળ ઉપર ના ફોટા લઈ વિધિ કરતા ચાર જણા દેવીપૂજક હંસાબેન જીતુભાઈ તેમજ દેવીપૂજક જીતુભાઇ વિરાભાઈ તેમજ દેવીપૂજક ચીકુભાઈ વિરાભાઈ તેમજ રામુભાઈ ચીકુભાઈ તેમજ કાજલ બેન સહિત પાંચ સામે સુરેશ ભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવી છે પોલીસે પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.