31 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઉત્તરાયણ બાદ મહિનાઓ સુધી જયાં-ત્યાં પડી રહેલ દોરી અને તેના ગુંચળામા્ પક્ષીઓ ફસાઇને જીવ ગુમાવે છે અને રખડતા ઢોર તેને ખાઇ જતાં મોતને ભેટે છે…!!આ ફેંકાયેલી દોરીનાં ગુંચળાઓને એકત્ર કરવાનો વિચાર કર્યો પાલનપુરની સાળવી પ્રા.શાળાનાં બાળકોએ…!!આ બાળકોએ ઉત્તરાયણ બાદના પંદર દિવસ સુધી પોતાની અગાશી,ઘર પાસેના વિસ્તારોમાંથી આવી ફેંકાયેલી દોરીઓને એકત્ર કરી શાળા ખાતે જમા કરાવી હતી. શાળાનાં વિદ્યાર્થીઓએ લાવેલ આ નકામી દોરીઓના ગુંચળાનો કુલ ૨૮ કિલો જેટલો જથ્થો એકત્ર થયો હતો. શાળાનાં આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ દોરીના જથ્થાને દહન કરી નાશ કરવામાં આવ્યો હતો.મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલે આ કાર્ય બદલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં.