DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જય હો મોદીજી– વર્લ્ડ બેસ્ટ પોલીટીકલ લીડર–શું કહ્યુ જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ મુંગરાજીએ

જય હો મોદીજી– વર્લ્ડ બેસ્ટ પોલીટીકલ લીડર–શું કહ્યુ જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ મુંગરાજીએ

અખબારી યાદી દ્વારા વિગત આપતા મીડીયા સેલ કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર

પૃથ્વી ઉપરના લોકપ્રિય નરેન્દ્રભાઇ બેસ્ટ પ્રાઇમમીનીસ્ટર ઓફ અર્થ થતાં જામનગર જિલ્લા ભાજપમાં હરખની હેલી

આપણા પ્રધાનમંત્રી આપણા ગૌરવ સમાન હોવાનું જણાવતા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા

લોકનાયક – પ્રધાનસેવક નરેન્દ્રભાઈ વિશ્વમાં બીજી વખત સર્વાધિક વોટ થી અગ્રેસર

 

જામનગર ( ભરત ભોગાયતા)

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોર્નીંગ કન્સલ્ટ કર્મમાં મેકસીકો, ઓસ્ટ્રેલીયા, સ્વીઝરલેન્ડ, બ્રાઝીલ સહિત અનેક દેશોના રાજનેતાઓને પાછળ રાખી ફરી એક વખત ૭૯% જેટલા અગ્રીમ રેન્ટીંગ સાથે વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય નેતા બન્યા હોવાની જાહેરાતને જામનગર જિલ્લા ભાજપે હરખભેર વધાવી છે.

આ જાહેરાતને આવકારતા જિલ્લા ભાજપના આગેવાનોએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કોરોનાની મહામારી સમયે દેશના જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોની ચીંતા કરી આજ દિન સુધી વિનામૂલ્યે અન્નની યોજના વિશ્વની સૌથી મોટી યોજના છે, તદઉપરાંત કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને ઉગારવા માટે સ્વદેશી વેકસીન મારફતે અનેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સબંધો થકી કરોડો માનવદગી બચાવવા માટે શ્રી નરેન્દ્રભાઈ સંકટમોચક બન્યા છે. આધુનિક વિશ્વને ભારતની પૌરાણીક સંસ્કૃતિ ‘યોગ’ તરફ લઈ જવાના મહત્વના પગલા સ્વરૂપ સમગ્ર વિશ્વમાં માન. નરેન્દ્રભાઈ ની અપીલ થકી વિશ્વ યોગ દિવસ’ ની શરૂઆતની નોંધ વિશ્વના દરેક દેશોએ લીધેલી છે. આઝાદીના ૭૫ વર્ષમાં પ્રથમ વખત ભારતને જી-૨૦ દેશોનું અધ્યક્ષપદ એ પણ ૧૩૦ કરોડ ભારતીયો માટે ગૌરવપ્રદ ઘટના છે. દરેક દેશો સાથે મિત્રતાભર્યો વહેવાર અને ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં ડંકો વગાડવાની નરેન્દ્રભાઈની આગવી સૂઝ-બુઝ અને જરૂર પડયે સર્જીકલ સ્ટ્રાઈક જેવા મકકમ પગલા લેતા પણ નહીં અચકાતા એવા પ્રધાનમંત્રી ખરા લોકનાયક હોવાની છાપ સમગ્ર વિશ્વમાં અંકિત થયેલ છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા, કેબીનેટ કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નયનાબેન પરમાર, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિત ભાજપના સંગઠનના સૌ પદાધિકારીઓ, કાર્યકરો તથા ચૂંટાયેલ સર્વે સદસ્યોએ હરખભેર જણાવ્યું છે કે દુરંદેશી વ્યકિતત્વના ધની અને ભારતને ખરી રીતે અમૃતકાળમાં આવા પ્રધાનમંત્રી મળ્યા હોવાનો અને આગામી સમયમાં ભારત મહાસતા બનવાનો ઈશ્વરીય સંકેત છે તેમ જિલ્લા ભાજપ મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવ્યું છે.

@__________________

BGB

8758659878

GOV.ACCRE.JOURNALIST

JAMNAGAR

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!