BANASKANTHAPALANPUR

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

27 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરના એન.એસ.એસ. યુનિટ તથા બનાસકાંઠા ગ્રાહક સુરક્ષા, શિક્ષણ અને સંશોધન મંડળ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે  ૨૬ જૂન ના રોજ ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળના બનાસકાંઠા ખાતેના મંત્રી અને તંત્રી શ્રીમતી પૂર્ણિમાબેન મહેતાના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગ્રાહક સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિષેની સચોટ તથા રસપ્રદ માહિતી ઉદાહરણ સાથે આપવામાં આવી. કાર્યક્રમમાં ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ વ્યાખ્યાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો તથા સવાલ જવાબ કરી જરૂરી માહિતી મેળવી હતી .કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગર સાહેબ ઉપસ્થિત રહ્યા તથા પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા તેમજ પ્રો. ડી.એન પટેલ, ડૉ. કે. કે. માથુર, પ્રો. સુનીલ ચૌધરી, ડૉ. શીતલ ચૌધરી, પ્રો. હેતલ રાઠોડ તથા ફાઈન આર્ટસ કોલેજમાંથી ગણેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન પ્રો. આર.ડી. વરસાતે કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!