GIR SOMNATHGIR SOMNATH

Somanath : યુવાનની સુસાઇડ નોટમાં સોમનાથ ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ

ચોરવાડ કસ્ટમ નાકા પાસે રહેતા યુવાન એ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત સુસાઇડ નોટમાં સોમનાથ ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ

ચોરવાડ કસ્ટમ નાકા પાસે રહેતા કોળી નીતિનભાઇ ઉર્ફે જીવાત જગદીશભાઇ પરમાર (૨૮) રાત્રે ૨.૩૦ પહેલા કોઇપણ વખતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેના મૃતદેહને ઉતારી અને જામનગર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલેલ છે.
ફરજ પરના પીએસઓ એ જણાવેલ કે, અમારી પાસે બીજી કોઇ માહિતી ઉપલબ્ધ નથી. પીએસઆઇ તપાસ કરી રહેલ છે. ચોરવાડના પીએસઆઇ કે.એમ. ગઢવીએ જણાવેલ કે, યુવાનનો મૃતદેહ પાસેથી સુસ્યાઇડ નોટ મળેલ છે, જેમાં તેમણે લખેલ છે કે,મરનાર નીતિન જગદીશભાઇ પરમાર, રહે. જુજાલુમુર રોડ, હું અત્યારે ફાંસી ખાવ છું, તેના જવાબદાર ત્રણ વ્યકિત છે. જેમાં વિમલ કાના ચુડાસમા (ધારાસભ્ય-સોમનાથ),મનુભાઇ મકન કવા (પ્રાચી) તથા ભનુ મકાન કવા (પ્રાચી) ના હિસાબે મને માનસીક ત્રાસ અને મને મારી નાખવાની ધમકી આપે છે. જેથી હુંફાંસી ખાવ છું, જીવન ટુંકાવું છું. મારૂ મરવાનું કારણ આ ત્રણ જણા છે. જે મે ઉપર લેખલ છે. મારી સહી કરૂ છું.આ કાગળમાં મરનારની આખા પાનામાં છ થી સાત સહી કરી છે અને તા. ૨૯-૧૦-૨૦૨૩ લખેલ છે. ચોરવાડ ગામમાં ચર્ચાતી વિગત મુજબ આપઘાત કરનાર યુવાન છે. જે ભૂતકાળમાં વિમલભાઇ સાથે કામ કરતો હતો. ત્યારે બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયેલ. આખા ગામમાં અનેક ચર્ચા થઇ રહેલ છે.આપઘાતનો બનાવ બનતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગની દરેક બ્રાચો આવી પહોંચી હતી. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.સોમનાથ વિસ્તારના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાના મોબાઇલ નંબરો સંપર્ક કરવા પ્રયત્ન કરતા તમામ નંબરો સ્વીચ ઓફ હતા.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!