નર્મદા જિલ્લાના રાજપીપલા તેમજ ગરુડેશ્વર માંથી પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કર્યો
જુનેદ ખત્રી : રાજપીપળા
ગુજરાતના ખેડા જિલ્લામાં કથિત આયુર્વેદિક નશાકારક સીરપ પીવાથી પાંચ ઈસમોના મૃત્યુ થતાં ચકચાર મચી છે ત્યારે આ નશાના વેપલા સામે ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી છે
નર્મદા જિલ્લામાં પણ પોલીસ તંત્ર સાબદુ બન્યું છે અને જુદા જુદા સ્થળોએ મેડિકલ સ્ટોર સહિત જગ્યાઓ ઉપર તપાસ હાથ ધરી હતી ત્યારે રાજપીપલા માંથી બે જુદી જુદી જગ્યાએથી પોલીસે કુલ ૧૨ શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો કબ્જે કરી છે જેની ઉપર દવાનું નામ અને માત્ર લખેલ ન હતી ઉપરાંત ગરુડેશ્વર તાલુકાના ભુમલિયા થી ૬૯ નંગ શંકાસ્પદ આયુર્વેદિક સીરપ નો જથ્થો કબજે કર્યો છે જેમાં ૧૧.૦૦% આલ્કોહોલ હોવાનું લખેલ જણાતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે