CHHOTA UDAIPURNASAVADI

નસવાડી તાલુકાના ખાપરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો

નસવાડી તાલુકાના ખાપરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમનો યોજા

  1. નસવાડી તાલુકા ખાપરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના પંચાયતના કારોબારી ચેરમેનના હાથે કંકુ ચાંદલા કરીને રથનુ સ્વગાત કરાયું હતું અને દીપ પ્રગટાવીને કાર્યકમની શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાનો દ્રારા આવેલા મહેમાનોનુ પુષ્પફૂલ આપીને સ્વગાત કરાયું હતું જયારે પ્રાથમિક શાળાના બાળકોએ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની કૃતિ રજુ કરી હતી બાળકોએ વૃક્ષ વાવો,પ્રકૃતિ બચાવોની કૃતિ રજુ કરીને લોકોને પર્યાવરણ બચવવાનો સંદેશ પાઠવ્યો હતો આ કાર્યક્રમના આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ,શિક્ષણ વિભાગ તેમજ અન્ય વિભાગ દ્રારા પ્રજાને કઈ રીતે સરકારી લાભો મળે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આયુષ્યમાન કાર્ડ,પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના ગેસના બોટલ અને સગડી, આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઓડર તેમજ અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો હતો સરકારી લાભ ઘર આંગણે મળતા લોકોમાં ખુશી પણ છવાઈ હતી આ યાત્રામાં નસવાડી તાલુકાનું સમગ્ર વહીવટી તંત્ર હાજર રહ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ,તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ ભીલ,તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સિમીબેન ભીલ,ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન તડવી ,જસુભાઈ ભીલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા,પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ જસ્વાલ,તેમજ સરપંચ,તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!