BANASKANTHADEESA

ફોરણા માધ્યમિક શાળામાં ઈનામ વિતરણનો કાર્યક્રમ ગુરુ મહારાજા અધ્યક્ષ સ્થાને યોજાયો

આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ફોરણા ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું પુજ્ય ગુરુમહારાજે બાળકોને જણાવ્યું હતું કે માણસ પોતાનો ધ્યેય નક્કી હોવો જોઈએ. તો તે સુખી બને છે અત્યારે રમત-ગમત અને વિજ્ઞાનશોધ માટે તો મેડલ આપવામા આવે છે પણ કોઈ સારો માણસ બને તો એનું પણ સન્માન કરવું જોઈએ આજે વિશ્વના સૌથી મોટી સમસ્યા ગરીબી, વસ્તીવધારો કે બેરોજગારી નથી પણ સારા માણસોની અછત છે શાળાના બાળકો અને ગામના લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો શાળામાં પૂજ્ય ગુરુમહારાજનું શાળા પરિવાર વતી અને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં ઈનામ વિતરણ કરવામાં આવ્યું અને મેડલિસ્ટ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતે દરેક બાળકોએ પૂજ્ય ગુરુમહારાજના આશિર્વાદ લીધા.

રિપોર્ટર ભરત ઠાકોર ભીલડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!